શિક્ષણની સાચી દિશા એટલે શ્રી જાફરાબાદ કેળવણી ઉત્તેજક મંડળ,દરિયાકાંઠાના છેવાડાના વિસ્તારમાં આવેલું શિક્ષણનું જૂનામાં જૂનું કેળવણીનું ધામ એટલે શ્રી જાફરાબાદ કેળવણી ઉત્તેજક મંડળ.
શિક્ષણની સાચી દિશા એટલે શ્રી જાફરાબાદ કેળવણી ઉત્તેજક મંડળ,દરિયાકાંઠાના છેવાડાના વિસ્તારમાં આવેલું શિક્ષણનું જૂનામાં જૂનું કેળવણીનું ધામ એટલે શ્રી જાફરાબાદ કેળવણી ઉત્તેજક મંડળ.
શ્રી જાફરાબાદ કેળવણી ઉત્તેજક મંડળ, જાફરાબાદ, જિલ્લો:અમરેલી-365540 બ્લોગમાં આપનું હાર્દિક સ્વાગત છે. " Do not focus on Results,Nothing will change,Instead focus on change,You will get Results."
આજનો સુવિચાર : " વિશ્વમાં બીજો કોઈ એવો વ્યવસાય નથી જે સમાજમાં શિક્ષક કરતાં વધારે મહત્વ હોય . "

Sunday, 23 December 2018

રાષ્ટ્રીય ગણિત દિવસ - શ્રી પ્ર.પૂ.પ્રે.ડાંડિયા મિડલ સ્કૂલ જાફરાબાદ ( કૌન બનેગા ગણિતપતિ )

તારીખ 22મી ડિસેમ્બરના રોજ મહાન ગણિતશાસ્ત્રી શ્રીનિવાસ રામાનુજનો જન્મ દિવસ જેને ભારતભરમાં રાષ્ટ્રીય ગણિત દિવસ તરીકે ઉજવવામાં આવે છે . આ રાષ્ટ્રીય ગણિત દિવસ નિમિત્તે શ્રી જાફરાબાદ કેળવણી ઉત્તેજક મંડળ સંચાલિત શ્રી પ્ર.પૂ.પ્રે ડાંડિયા મિડલ સ્કૂલ ખાતે આચાર્ય શ્રી નીતિનભાઈ પંડયા અને ગણિત શિક્ષક શ્રી ભવાનગીરી ગોસાઈ ના માર્ગદર્શન હેઠળ કૌન બનેગા ગણિતપતિ જે એક ગેમ શો રાખવામા આવી હતી જેમાં વિદ્યાર્થીઓને ખૂબ જ  તર્ક થી આ ગેમ રમી આનંદ માણેલો હતો .આ ગેમ શો નિહાળવા શ્રી અશોકભાઈ પ્રજાપતિ,  શ્રી નીતિનભાઈ પંડયા , શ્રી ભીખુભાઈ પટેલ , શ્રીમતી મંજુલાબેન ચૌહાણ , પારૂલબેન ગોસાઈ , રીતુબેન ચુડાસમા અને શાળાના ધોરણ  6 થી  8ના વિદ્યાર્થીઓ હાજર રહયા હતા. આ ગેમ શોના વિજેતા શ્રી યાજ્ઞિકભાઈ થયા હતા તેમને શ્રી અશોકભાઈ પ્રજાપતિ અને શ્રી નીતિનભાઈ પંડ્યા ના હસ્તે ઈનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. આ સમગ્ર ગેમ શો નું અસરકારક સંચાલન શ્રી રીતુબેન ચુડાસમા એ કરેલું હતું . 








No comments:

Post a Comment

પોસ્ટ ગમી હોય તો આપ COMMENTS કરી શકો છો .