શિક્ષણની સાચી દિશા એટલે શ્રી જાફરાબાદ કેળવણી ઉત્તેજક મંડળ,દરિયાકાંઠાના છેવાડાના વિસ્તારમાં આવેલું શિક્ષણનું જૂનામાં જૂનું કેળવણીનું ધામ એટલે શ્રી જાફરાબાદ કેળવણી ઉત્તેજક મંડળ.
શિક્ષણની સાચી દિશા એટલે શ્રી જાફરાબાદ કેળવણી ઉત્તેજક મંડળ,દરિયાકાંઠાના છેવાડાના વિસ્તારમાં આવેલું શિક્ષણનું જૂનામાં જૂનું કેળવણીનું ધામ એટલે શ્રી જાફરાબાદ કેળવણી ઉત્તેજક મંડળ.
શ્રી જાફરાબાદ કેળવણી ઉત્તેજક મંડળ, જાફરાબાદ, જિલ્લો:અમરેલી-365540 બ્લોગમાં આપનું હાર્દિક સ્વાગત છે. " Do not focus on Results,Nothing will change,Instead focus on change,You will get Results."
આજનો સુવિચાર : " વિશ્વમાં બીજો કોઈ એવો વ્યવસાય નથી જે સમાજમાં શિક્ષક કરતાં વધારે મહત્વ હોય . "

Saturday 20 April 2019

ચિત્ર વર્કશોપ.........(શ્રી જે.જે.કોલેજ ઓફ આર્ટ,મુંબઈ- હેડ ઓફ ધી ડિપાર્ટમેન્ટ શ્રી અનંતભાઈ નિકમ તથા તેમના પત્ની શિલ્પાબેન મહેતા નિકમ)

શ્રી જાફરાબાદ કેળવણી ઉત્તેજક મંડળ,જાફરાબાદ સંચાલિત શાળાઓના સંયુક્ત ઉપક્રમે તા:17/04/2019ના રોજ એક દિવસીય ચિત્ર વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું.જે ઉપક્રમે મુંબઈની ખ્યાતનામ આર્ટ કોલેજ શ્રી જે.જે.કોલેજ ઓફ આર્ટના હેડ ઓફ ધી ડિપાર્ટમેન્ટ શ્રી અનંતભાઈ નિકમ તથા તેમના પત્ની શિલ્પાબેન મહેતા નિકમ અધ્યક્ષ સ્થાને હતા. શિલ્પાબેન મહેતા નિકમ જાફરાબાદના પ્રતિષ્ઠીત શ્રેષ્ઠી શ્રી છગનલાલ મહેતાના પૌત્રી હોઈ આ વર્કશોપ શક્ય બન્યો હતો. સંસ્થાના શ્રી અશોકભાઈ પ્રજાપતિ તથા શાળાના આચાર્યોની મદદથી ઉચ્ચ.પ્રાથમિક શાળાના કુલ 92 તથા માધ્યમિક અને ઉચ્ચ.માધ્યમિક શાળાના 172 વિદ્યાર્થીઓ એમ મળીને કુલ 264 વિદ્યાર્થીઓ આ એક દિવસીય ચિત્ર વર્કશોપમાં જોડાયા હતા.જેમાં વિદ્યાર્થીઓને ચિત્ર કેવી રીતે તૈયાર કરવું અને દિવાલ પર ચિત્રકામ કેવી રીતે કરવું તે અંગેનું ઊંડાણપૂર્વકનું સચોટ માર્ગદર્શન તથા ચિત્ર દોરી તેનું જીવંત નિદર્શન આ ચિત્રકાર નિકમ દંપતી એ આપેલું હતું અને વિદ્યાર્થીઓને ચિત્ર કળા તરફ આગળ વધે તે અંગે જાગૃત કર્યા હતા. આ સુંદર વર્કશોપના કરવા બદલ નિકમ દંપતીનો સંસ્થાના મુંબઈ નિવાસી હોદ્દેદારો,કેમ્પસ ડાયરેક્ટર શ્રી ગૌતમભાઈ જોશી ,નિયામક શ્રી ઠાકોરદાસ રામાનંદી ,શ્રી અશોકભાઈ પ્રજાપતિ તથા સમગ્ર શાળાના આચાર્યશ્રીઓએ તેમનો ખૂબ ખૂબ આભાર માન્યો હતો.






No comments:

Post a Comment

પોસ્ટ ગમી હોય તો આપ COMMENTS કરી શકો છો .