શિક્ષણની સાચી દિશા એટલે શ્રી જાફરાબાદ કેળવણી ઉત્તેજક મંડળ,દરિયાકાંઠાના છેવાડાના વિસ્તારમાં આવેલું શિક્ષણનું જૂનામાં જૂનું કેળવણીનું ધામ એટલે શ્રી જાફરાબાદ કેળવણી ઉત્તેજક મંડળ.
શિક્ષણની સાચી દિશા એટલે શ્રી જાફરાબાદ કેળવણી ઉત્તેજક મંડળ,દરિયાકાંઠાના છેવાડાના વિસ્તારમાં આવેલું શિક્ષણનું જૂનામાં જૂનું કેળવણીનું ધામ એટલે શ્રી જાફરાબાદ કેળવણી ઉત્તેજક મંડળ.
શ્રી જાફરાબાદ કેળવણી ઉત્તેજક મંડળ, જાફરાબાદ, જિલ્લો:અમરેલી-365540 બ્લોગમાં આપનું હાર્દિક સ્વાગત છે. " Do not focus on Results,Nothing will change,Instead focus on change,You will get Results."
આજનો સુવિચાર : " વિશ્વમાં બીજો કોઈ એવો વ્યવસાય નથી જે સમાજમાં શિક્ષક કરતાં વધારે મહત્વ હોય . "

Thursday, 24 January 2019

સફળતાના દસ સૂત્રો





  1. તમે આજે જે કામ કરી શકતા હો તેને ક્યારેય કાલ પર મુલત્વી રાખશો નહીં . 
  2. તમે જાતે જે કામ કરી શકતા હો તે ક્યારેય બીજાને સોપતા નહીં - બીજા પર ઠેલશો નહીં. 
  3. તમે જેટલું કમાયા હોય તેનાથી વધુ ખર્ચ કરશો નહીં.
  4. ખરેખર જેની અત્યંત જરૂર ન હોય તે વસ્તુ ક્યારેય ખરીદશો નહીં પછી ભલે તે સસ્તામાં મળતી હોય.
  5. ગુસ્સો આવે ત્યારે કાંઈ પણ બોલતાં પહેલા મનમાં દસ ગણી કાઢજો, ગુસ્સો બહુ  ભારે  હોય તો પૂરા સો ગણી નાખજો. 
  6. ભૂખ અને તરસ કરતાં આત્મસંતોષને વધુ મહત્વ આપજો. 
  7. કોઈ પણ કામ હાથમાં લો તો તે ખૂબ સાંભળીને હાથમાં લેજો સમય,શક્તિ અને તમારી આવડતનો પૂરો ક્યાસ કાઢીને લેજો. 
  8. કોઈ પણ કામ કેટલી ઝડપે પૂરું થાય છે તેના કરતાં કેવી રીતે પૂરું થાય છે એને વધારે અગત્યનું માનજો.ક્વોન્ટીટીને બદલે ક્વોલિટીને વધારે મહત્વ આપજો. 
  9. કોઈ પણ કામ કરો તે સ્વેચ્છાએ ઉત્સાહથી કરજો તેમ કરવાથી તમને કામમાં રસ પડશે ,તમારું કામ  દીપી ઉઠશે. 
  10. તમારું કામ કરનારની કદર કરતાં શીખશો તો તમારા કામની કદર થશે. આમ છતાં સિદ્ધાંત એ રાખજો કે બીજાના સારા કામની કદર કરવી,પોતાના કામની કદર થાય તેના કરતાં પોતાના કામનો પોતાને સંતોષ થાય તેને વધુ મહત્વ આપજો.   

                                                                                            -    અશોક બી.પ્રજાપતિ 


No comments:

Post a Comment

પોસ્ટ ગમી હોય તો આપ COMMENTS કરી શકો છો .