શિક્ષણની સાચી દિશા એટલે શ્રી જાફરાબાદ કેળવણી ઉત્તેજક મંડળ,દરિયાકાંઠાના છેવાડાના વિસ્તારમાં આવેલું શિક્ષણનું જૂનામાં જૂનું કેળવણીનું ધામ એટલે શ્રી જાફરાબાદ કેળવણી ઉત્તેજક મંડળ.
શિક્ષણની સાચી દિશા એટલે શ્રી જાફરાબાદ કેળવણી ઉત્તેજક મંડળ,દરિયાકાંઠાના છેવાડાના વિસ્તારમાં આવેલું શિક્ષણનું જૂનામાં જૂનું કેળવણીનું ધામ એટલે શ્રી જાફરાબાદ કેળવણી ઉત્તેજક મંડળ.
શ્રી જાફરાબાદ કેળવણી ઉત્તેજક મંડળ, જાફરાબાદ, જિલ્લો:અમરેલી-365540 બ્લોગમાં આપનું હાર્દિક સ્વાગત છે. " Do not focus on Results,Nothing will change,Instead focus on change,You will get Results."
આજનો સુવિચાર : " વિશ્વમાં બીજો કોઈ એવો વ્યવસાય નથી જે સમાજમાં શિક્ષક કરતાં વધારે મહત્વ હોય . "

Monday, 31 December 2018

નાતાલ પર્વની ઉજવણી (શ્રી કુમાર એવમ કન્યા છાત્રાલય ,જાફરાબાદ )

તારીખ 30/12/2018ના રોજ શ્રી જાફરાબાદ કેળવણી ઉત્તેજક મંડળ સંચાલિત શ્રી કુમાર એવમ કન્યા છાત્રાલય ,જાફરાબાદ ખાતે સાયં કાલે  છાત્રાલયના બાળકો દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ તથા  ઈસુના જન્મ દિવસ નિમિત્તે સાંતાક્લોઝ અને મહેમાનશ્રીઓના હસ્તે કેક કાપી નાતાલ પર્વની ઉજવણી કરવામાં આવી હતી.આ પ્રસંગે  શ્રી કેમ્પસ ડાયરેક્ટર શ્રી ગૌતમભાઈ જોશી , નિયામક શ્રી ઠાકોરદાસ રામાનંદી ,કેમ્પસ કો.ઓર્ડીનેટર શ્રી અશોકભાઈ પ્રજાપતિ, શ્રી કલ્પેશભાઈ રાવ ,શ્રી નારણભાઈ ઢગલ, શ્રી કૃષ્ણપ્રસાદ જાની , શ્રી જીગ્નાબેન શિયાળ , શ્રી દક્ષાબેન શિયાળ તથા સંઘવી સ્કૂલના આચાર્યા શ્રી ચાંદનીબેન કોટેચા , શ્રી દીપિકાબેન મહેતા , શ્રી ભારતીબેન બાંભણિયા , શ્રી જીગ્નાબેન રાઠોડ તથા ધોરણ  6 થી 8 નો સંઘવી સ્કૂલનો સ્ટાફ તથા ગૃહ ભ્રાતા શ્રી હરેશભાઈ કળોતરા ,શ્રી ભરતભાઈ વેગળ, ગૃહ ભગિની જાનકીબેન પુરોહીત , શ્રી અંકિતાબેન પુરોહિત હાજર રહ્યા હતા. નાતાલ પર્વનું મુખ્ય પાત્ર સાન્તાક્લોઝ શ્રી ક્રિષ્નાબેન ને મળ્યું હતું અને તેમના દ્વારા ધોરણ- 5 થી 7ના  બાળકોને નવા વર્ષની ઉજવણી રૂપે ભેટ-સોગાદો  આપવામાં આવી હતી. કાર્યક્રમને અંતે મહેમાનશ્રી ઓના હસ્તે સહભાગી બાળકોને ઈનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા અને બાળકો દ્વારા મેદાનમાં ફટાકડાની ફોડી રોશની કરવામાં આવી હતી. સમગ્ર કાર્યક્રમનું સંચાલન શ્રી ભરતભાઈ વેગળ દ્વારા કરવામાં આવ્યું હતું . 


















No comments:

Post a Comment

પોસ્ટ ગમી હોય તો આપ COMMENTS કરી શકો છો .