સર્જનાત્મકતા ખાલી મોટું મોટું સર્જન કરવું એ નથી પણ નાની નાની સર્જનશીલતા
એ પણ સર્જનાત્મકતા જ છે : પી. એસ. ચારી
Creativity
is not just a big one but a small creativity is also creativity.
- P. S Chair
સર્જનાત્મકતા
ખાલી મોટું મોટું સર્જન કરવું એ નથી પણ નાની નાની સર્જનશીલતા એ પણ સર્જનાત્મકતા જ
છે.સર્જનશીલતા એ સફળતાનું મહત્વપૂર્ણ પરિબળ છે. સર્જનાત્મકતા એ વારસામાં મળેલું
લક્ષણ નથી. સર્જનાત્મકતા એ એક કૌશલ્ય છે જેનો અભ્યાસ અને મહાવરાની પ્રક્રિયા
દ્વારા વિકાસ કરી શકાય છે .
સર્જનાત્મકતાને ધ્યાનમાં રાખી તા 24/11/2018 ના રોજ દિવાળી ના તહેવારને ધ્યાનમાં રાખીને દિવાળી સ્પેશિયલ સ્પર્ધાઓ જેવીકે દીવા સુશોભન , રંગોળી અને દિવાળી ગ્રીટિંગ્સ કાર્ડ બનાવાવા વગેરે સ્પર્ધાઓ શ્રીમતી ટી.જી.સંઘવી અને જી.ડી. સંઘવી પ્રાથમિક શાળા અને શ્રીમતી ગીતાબેન કિરીટભાઈ મહેતા ઉચ્ચ.પ્રાથમિક શાળામાં યોજાવામાં આવી હતી જેમાં ધોરણ 1 થી 8 ના બાળકોએ ખૂબ જ મોટી સંખ્યામાં ઉત્સાહ પૂર્વક ભાગ લીધો હતો.આ સમગ્ર સ્પર્ધાઓ શાળાના આચાર્યશ્રી ચાંદનીબેન કોટેચા તથા સમગ્ર સ્ટાફ ગણના માર્ગદર્શન હેઠળ યોજવામાં આવી હતી.
No comments:
Post a Comment
પોસ્ટ ગમી હોય તો આપ COMMENTS કરી શકો છો .