શિક્ષણની સાચી દિશા એટલે શ્રી જાફરાબાદ કેળવણી ઉત્તેજક મંડળ,દરિયાકાંઠાના છેવાડાના વિસ્તારમાં આવેલું શિક્ષણનું જૂનામાં જૂનું કેળવણીનું ધામ એટલે શ્રી જાફરાબાદ કેળવણી ઉત્તેજક મંડળ.
શિક્ષણની સાચી દિશા એટલે શ્રી જાફરાબાદ કેળવણી ઉત્તેજક મંડળ,દરિયાકાંઠાના છેવાડાના વિસ્તારમાં આવેલું શિક્ષણનું જૂનામાં જૂનું કેળવણીનું ધામ એટલે શ્રી જાફરાબાદ કેળવણી ઉત્તેજક મંડળ.
શ્રી જાફરાબાદ કેળવણી ઉત્તેજક મંડળ, જાફરાબાદ, જિલ્લો:અમરેલી-365540 બ્લોગમાં આપનું હાર્દિક સ્વાગત છે. " Do not focus on Results,Nothing will change,Instead focus on change,You will get Results."
આજનો સુવિચાર : " વિશ્વમાં બીજો કોઈ એવો વ્યવસાય નથી જે સમાજમાં શિક્ષક કરતાં વધારે મહત્વ હોય . "

Sunday 30 September 2018

વિકાસ વર્તુળ ટ્રસ્ટ ભાવનગર આયોજીત- GKIQ ટેસ્ટ - ૨૦૧૮

વિકાસ વર્તુળ ટ્રસ્ટ ભાવનગર આયોજીત- GKIQ ટેસ્ટ -2018 જે તારીખ 30/09/2018 ના રોજ પારેખ મહેતા હાઈસ્કૂલ- જાફરાબાદ  કેન્દ્ર ખાતે લેવાઈ હતી જેમાં સંસ્થા સંચાલિત  પારેખ મહેતા હાઈસ્કૂલ , કે.પી માધ્યમિક વિદ્યાલય , ડાંડિયા મિડલ સ્કૂલ  અને ટી.જી.સંઘવી સ્કૂલના એમ ચાર સ્કૂલના કુલ 331 બાળકોએ આ ટેસ્ટમાં ભાગ લીધો હતો. જેમાં આ ટેસ્ટ માટેના કેન્દ્ર સંચાલક તરીકે  પારેખ મહેતા સ્કૂલના શ્રી નારણભાઈ ઢગલ સાહેબે ભૂમિકા ભજવી હતી તથા પારેખ મહેતા હાઈસ્કૂલના શ્રી કલ્પેશભાઈ રાવ , શ્રીમતી ગીતાંજલીબેન રામાનંદી , શ્રી નાજાભાઈ છેલાણા અને (કડિયાળી મુકામે વ્યવસ્થાપક) તરીકે શ્રી સંજયભાઈ શિયાળ,ડાંડિયા મિડલ સ્કૂલ તરફથી આચાર્ય શ્રી  નીતિનભાઈ પંડયા તથા કે.પી.માધ્યમિક વિદ્યાલય તરફથી શ્રી જિજ્ઞાબેન શિયાળ,શ્રી પ્રિયંકાબેન વ્યાસ અને શ્રી રીનાબેન બાંભણીયા જ્યારે ટી.જી.સંઘવી સ્કૂલ  તરફથી આચાર્ય શ્રી ચાંદનીબેન કોટેચા , શ્રી દીપિકાબેન મહેતા અને શ્રી જિજ્ઞાબેન રાઠોડ આ સમગ્ર સારસ્વતોએ સુપરવાઇઝરની મહત્વની  કામગીરી કરી હતી. જેમાં વહીવટી કામગીરી તરીકે હેડ કલાર્ક  શ્રી ભરતભાઈ જોશી તથા સેવક તરીકેની કામગીરી માટે  શ્રી ભાવેશભાઈ જોશી એ મહત્વનુ યોગદાન આપેલ હતું આ સાથે કેમ્પસ ડાયરેક્ટર શ્રી ગૌતમભાઈ જોશી અને નિયામક શ્રી ઠાકોરદાસ રામાનંદી તથા શ્રી અશોકભાઈ પ્રજાપતિનું સતત માર્ગદર્શન અને મહત્વનુ યોગદાન રહ્યું હતું. 































No comments:

Post a Comment

પોસ્ટ ગમી હોય તો આપ COMMENTS કરી શકો છો .