શિક્ષણની સાચી દિશા એટલે શ્રી જાફરાબાદ કેળવણી ઉત્તેજક મંડળ,દરિયાકાંઠાના છેવાડાના વિસ્તારમાં આવેલું શિક્ષણનું જૂનામાં જૂનું કેળવણીનું ધામ એટલે શ્રી જાફરાબાદ કેળવણી ઉત્તેજક મંડળ.
શિક્ષણની સાચી દિશા એટલે શ્રી જાફરાબાદ કેળવણી ઉત્તેજક મંડળ,દરિયાકાંઠાના છેવાડાના વિસ્તારમાં આવેલું શિક્ષણનું જૂનામાં જૂનું કેળવણીનું ધામ એટલે શ્રી જાફરાબાદ કેળવણી ઉત્તેજક મંડળ.
શ્રી જાફરાબાદ કેળવણી ઉત્તેજક મંડળ, જાફરાબાદ, જિલ્લો:અમરેલી-365540 બ્લોગમાં આપનું હાર્દિક સ્વાગત છે. " Do not focus on Results,Nothing will change,Instead focus on change,You will get Results."
આજનો સુવિચાર : " વિશ્વમાં બીજો કોઈ એવો વ્યવસાય નથી જે સમાજમાં શિક્ષક કરતાં વધારે મહત્વ હોય . "

Tuesday 21 January 2020

રાષ્ટ્રીય ગણિત દિવસ-2019

તારીખ 22મી ડિસેમ્બરના રોજ મહાન ગણિતશાસ્ત્રી શ્રીનિવાસ રામાનુજનો જન્મ દિવસ જેને ભારતભરમાં રાષ્ટ્રીય ગણિત દિવસ તરીકે ઉજવવામાં આવે છે . આ રાષ્ટ્રીય ગણિત દિવસ નિમિત્તે શ્રી જાફરાબાદ કેળવણી ઉત્તેજક મંડળ સંચાલિત શ્રીમતી ટી.જી.સંઘવી અને જી.ડી.સંઘવી પ્રાથમિક શાળા અને શ્રીમતિ ગીતાબેન કિરીટભાઈ મહેતા ઉચ્ચ.પ્રાથમિક શાળા ખાતે ગણિત દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ નિમિત્તે આચાર્યા શ્રી ચાંદનીબેન કોટેચા તથા ધોરણ 1 થી 8ના ગણિત શિક્ષકોના માર્ગદર્શન હેઠળ ધોરણ 1 થી 8 ના બાળકો દ્વારા ગણિત વિષયક  મોડેલ્સની આંતર વર્ગીય સ્પર્ધા રાખવામાં આવી હતી.તથા વિજેતા ક્રમ 1 થી 3 આપવામાં આવેલ તથા મોડેલ્સનું પ્રદર્શન ગોઠવવામાં આવ્યું હતું. પ્રાર્થના કાર્યક્રમમાં શ્રી મિતલબેન જોશીના સંચાલન હેઠળ બાલમંદિરના નાના ભૂલકાઓની ગાણિતિક વેશભૂષા જેમાં બાળકો અંકો,આકારો અને સંકેતો બન્યા હતા,ગણિત શિક્ષિકા બહેનો દ્વારા રસપ્રદ ઘડીયા ગેમની રમતો, ધોરણ 8ના બાળકોના ગાણિતિક નાટક કરવામાં આવ્યા હતા. આ ગણિત દિવસની ઉજવણીમાં સંસ્થાના નિયામક શ્રી ઠાકોરદાસ રામાનંદી, શ્રી અશોકભાઈ પ્રજાપતિ, શ્રી કૃષ્ણપ્રસાદ જાની, આચાર્યાશ્રી ચાંદનીબેન કોટેચા, સુપરવાઇઝરશ્રીઓ તથા શાળાનો સમગ્ર સ્ટાફ ભાગીદાર રહ્યો હતો.કાર્યક્રમને અંતે આભારવિધિ આચાર્યાશ્રી ચાંદનીબેન કોટેચાએ કરેલ.આ તકે સંસ્થાના પ્રમુખ શ્રી કિરીટભાઈ મહેતા તથા ટ્રસ્ટી ગણે બાળકોને તથા શિક્ષિકા બહેનોને ગણિત દિવસની ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવેલ. 









ભારતીય સંસ્કૃતિ જ્ઞાન પરીક્ષા 2019



શ્રી જાફરાબાદ કેળવણી ઉત્તેજક મંડળ સંચાલિત પારેખ અને મહેતા હાઈસ્કૂલ તથા શ્રી એન.કે.એસ.સી મોદી  ઉચ્ચતર માધ્યમિક શાળા, જાફરાબાદ ખાતે ધોરણ 9 માં અભ્યાસ કરતો વિદ્યાર્થી ડાભી મુકેશભાઈ બાબુભાઈ જેમણે તાજેતરમાં લેવાયેલ અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર શાંતિકુંજ,હરિદ્વાર આયોજિત અમરેલી જીલ્લા ગાયત્રી પરિવાર સંચાલિત ભારતીય સંસ્કૃતિ જ્ઞાન પરીક્ષા 2019માં સમગ્ર જાફરાબાદ તાલુકામાં પ્રથમ સ્થાન મેળવી પોતાના પરિવાર અને શાળાનું ગૌરવ વધારેલ છે. જે અંગે વિદ્યાર્થી ડાભી મુકેશભાઈને અને  તેમને આ પરીક્ષાનું માર્ગદર્શન પૂરું પાડનાર ઉત્સાહી શિક્ષક શ્રી મુકેશભાઈ ત્રિવેદીને સમગ્ર શાળા તથા નિયામક શ્રી ઠાકોરદાસ રામાનંદી, શ્રી અશોકભાઈ પ્રજાપતિ, પ્રમુખ શ્રી કિરીટભાઈ મહેતા તથા સર્વે ટ્રસ્ટી ગણ દ્વારા ખૂબ ખૂબ અભિનંદન પાઠવવામાં આવેલ અને ચોતરફથી અભિનંદનની વર્ષા થઈ રહી છે.

Wednesday 8 January 2020

જ્ઞાનકુંભ સાપ્તાહિક પત્ર ,અંક-51

નમસ્કાર ,
આજનો "જ્ઞાનકુંભ સાપ્તાહિક પત્ર ,અંક-51રજૂ કરુ છું . જે આપ આસાનીથી પ્રિન્ટ કરી શકશો ,જેને આપ વિદ્યાર્થીઓ સુધી પહોચાડશો.
આપ સૌના સહકાર અને સૂચન આપ્યા બદલ તે બદલ આભાર. 
ડાઉનલોડ કરવા માટે નીચેની લિન્ક પર ક્લિક કરો. 


  • જ્ઞાનકુંભ સાપ્તાહિક પત્ર,અંક-51
જ્ઞાનકુંભ સાપ્તાહિક પત્ર,અંક-51





Thursday 2 January 2020

જ્ઞાનકુંભ સાપ્તાહિક પત્ર ,અંક-50


નમસ્કાર ,
આજનો "જ્ઞાનકુંભ સાપ્તાહિક પત્ર ,અંક-50 રજૂ કરુ છું . જે આપ આસાનીથી પ્રિન્ટ કરી શકશો ,જેને આપ વિદ્યાર્થીઓ સુધી પહોચાડશો.
આપ સૌના સહકાર અને સૂચન આપ્યા બદલ તે બદલ આભાર. 
ડાઉનલોડ કરવા માટે નીચેની લિન્ક પર ક્લિક કરો. 


  • જ્ઞાનકુંભ સાપ્તાહિક પત્ર,અંક-50

જ્ઞાનકુંભ સાપ્તાહિક પત્ર,અંક-50


Wednesday 18 December 2019

જ્ઞાનકુંભ સાપ્તાહિક પત્ર ,અંક-49

નમસ્કાર ,
આજનો "જ્ઞાનકુંભ સાપ્તાહિક પત્ર ,અંક-49 રજૂ કરુ છું . જે આપ આસાનીથી પ્રિન્ટ કરી શકશો ,જેને આપ વિદ્યાર્થીઓ સુધી પહોચાડશો.
આપ સૌના સહકાર અને સૂચન આપ્યા બદલ તે બદલ આભાર. 
ડાઉનલોડ કરવા માટે નીચેની લિન્ક પર ક્લિક કરો. 


  • જ્ઞાનકુંભ સાપ્તાહિક પત્ર,અંક-49
જ્ઞાનકુંભ સાપ્તાહિક પત્ર,અંક-49